મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહીસાગર

આગામી તા.૧૯/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ ચર્તુથીના તહેવાર સંદર્ભે ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે તે અંગે જિલ્લા કલેકટર ભાવિન પંડયા દ્વારા પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (P.O.P) નો ઉપયોગ કરવો નહી, ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની બનાવટમાં પ્રતિમાઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો, ઝેરી અને ઉતરતી અને હલકી કક્ષાના રસાયણ કે કેમીકલ યુકત રંગોથી મૂર્તિને કલર કરવો નહી, “૯” (નવ) ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા,વેચવા,સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા પર , આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત ૧૨ (બાર) ફુટથી વધારે ઉંચાઈની પ્રતિમાની સ્થાપના કરવી નહી એટલે કે વિર્સજન – સરઘસમાં સામેલ વાહન સહિત પ્રતિમાની ઉંચાઈ કુલ ૧૫ (પંદર) ફુટથી વધારે રાખવી નહી, પ્રતિમાની બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી.

પ્રતિમાનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત પ્રતિમાને બિન વારસી હાલતમાં છોડીને જવુ નહી તે અંગે જિલ્લાના તમામ આયોજકો/નગરપાલિકા/ગ્રામ પંચાયત તથા પોલીસ વિભાગ ધ્વારા ખાસ તકેદારી રાખવાની રહેશે, મૂરતી બનાવે-વેચે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી તે અંગે નગરપાલિકા / તાલુકા પંચાયત / ગ્રામ પંચાયતોએ તકેદારી રાખવી, વિસર્જન યાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઇ ગીત/સંગીત વગાડી તેમજ લોકોને ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારના ચેનચાળા/કીલકારીઓ કરી લોકોને ઉશ્કેરવા પર, વિસર્જન યાત્રા દરમિયાનના સરઘસમાં ડી.જે. / લાઉડ સ્પીકરથી વગાડમાં આવતા સંગીતનો અવાજ નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ તેમજ ગુજરાત સરકારની વખતોવખતની સુચનાથી ઠેરવેલ નિયત મર્યાદા કરતા વધારે રાખવા પર,ઉત્સવ દરમ્યાન લોકો લાલ, સફેદ, અબીલ, ગુલાલ જેવા પાવડરો ઉડાડતા હોય છે જેમાં સફેદ પાવડર કે જે આંખોને નુકશાનકારક હોઈ સફેદ પાવડર નહી વાપરવા અને ઝેરી પાવડરના ઉપયોગ ઉપર તથા જ્વલનશીલ પદાર્થો ફેંકવા નહી, સ્ફોટક પદાર્થ/અન્ય દારૂગોળો સાથે લઈ જવાની મનાઈ,પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા જવા ઉપર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવે છે.

આ જાહેરનામું સમગ્ર મહીસાગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે અને આ જાહેરનામું તા.૧૯/૦૯/૨૦૨૩ના ૦.૦૦ કલાકથી તા.૨૮/૦૯/૨૦૨૩ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment